Tuesday, September 27, 2011

Gujarat Navratri Celebration 2011 - મહોત્સવના સ્થળો ઉપર ધૂમ્રપાનમુક્ત વિસ્તાર જાહેર કરાયા

પોલીસ કમિશ્નર, જિલ્લા મેજિસ્ટ્રેટને તમાકુ નિષેધ કાનૂનના ચુસ્ત અમલ માટે સૂચના અપાઈ.

ગુજરાત સરકાર દ્વારા નવરાત્રિ ઉત્સવને ધૂમ્રપાન મુક્ત જાહેર કરવામાં આવ્યું છે અને આ ઉત્સવમાં પ્રજાજનોની હાજરી મોટી સંખ્યામાં વહેતી હોઈ ઉજવણીના સ્થળે તમાકુ નિષેધ કાયદાનો ચુસ્તપણે અમલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા તમામ પોલીસ કમિશ્નરો, જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓને
સૂચના આપવામાં આવી છે.

સમગ્ર ગુજરાત પરપ્રાંતો અને પરદેશોમાં વસતા તમામ ગુજરાતીઓ પોતિકા પર્વ અને વિશ્વના સૌથી લાંબા લોકનૃત્ય મહોત્સવ નવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણીની પૂર્વ તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા છે. સરકારે નવરાત્રિની
પવિત્રતા જળવાઈ રહે અને પ્રજાજનોની સુખાકારી સાથે જાહેર આરોગ્ય પણ સચવાય તે આશયથી નવરાત્રિ પર્વને ધૂમ્રપાન મુક્ત જાહેર કરી આ પર્વની ઉજવણી દરમિયાન પ્રજાજનોની ભારે ભીડ રહેતી હોવાથી ઉજવણીના સ્થળોએ ધૂમ્રપાન મુક્ત વિસ્તાર ગણીને ટોબેકો કન્ટ્રોલ એક્ટ તમાકુ નિષેધ કાનૂનનો ચુસ્ત અમલ કરવાનો નિર્ણય લીધો છે અને તે માટેના જરૂરી આયોજન અંગે રાજયભરના તમામ પોલીસ કમિશ્નરો, જિલ્લા મેજેસ્ટ્રીટ, વનવિભાગ તથા આરોગ્ય અને તબીબી સેવાઓ શિક્ષણની કચેરી.

No comments:

Post a Comment