વર્ષ ૨૦૦૬માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ ગત મે મહિનામાં આવ્યું છતાં ઊમેદવારો નોકરીથી વંચિત.
ગુજરાત પબ્લિક ર્સિવસ કમિશન દ્વારા એક વર્ષને બદલે પાંચ વર્ષ પૂરી થયેલી વર્ગ ૧ અને ૨ ની ભરતી પ્રક્રિયા કોઇ પોસ્ટગ અપાયું નથી. એક વર્ષ પહેલાં અંતિમ પરિણામ જાહેર થવા છતાં આજસુધી એક પણ ઊમેદવારના ઘરે ટ્રેનગ કે અન્ય કોઇ પત્ર ન આવતાં પાસ થયેલા ઊમેદવારોની સ્થિતિ કફોડી બની છે.
રાજય સરકારની આ એક આગવી ઓળખ છે. કે પરીક્ષાઓ જાહેર કરી દે છે. પછી તેના પરિણામો એકાદ વર્ષે કે પછી દોઢ બે વર્ષે જાહેર કરે છે. અને ત્યારબાદ પાસ થયેલા ઊમેદવારોને મૌખિક ઇન્ટરવ્યૂમાં બીજા છ - સાત
મહિના અને પછી તેમાં પાસ થયેલા ઊમેદવારોને નોકરી આપવામાં બીજું એકાદ વર્ષ થાય છે. એ આવું જ કંઇક
૨૦૦૬માં જીપીએસસીની પરીક્ષા પાસ કરનાર ઊમેદવારો સાથે થયું છે.
જીપીએસસી દ્વારા વર્ષ ૨૦૦૬માં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ આફ પોલીસ, મામલતદાર,જિલ્લા રજિસ્ટ્રાર, ટીડીઓ, સેકશન આૅફિસર વગેરે પોસ્ટ માટે ૩૧૬ ઊમેદવારોની ભરતીની જાહેરાત આવી હતી. સમગ્ર ભરતી પક્રિયા એક વર્ષમાં પૂરી કરવાના બદલે જીપીએસસી એ ઊમેદવારોની ભરતી પ્રક્રિયા પાંચ વર્ષ સુધી ચલાવે રાખી ગત
મે મહિનામાં તેનું છેલ્લું પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે તેમાં ૩૧૬ ઊમેદવારોને ઊત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા પરિણામ જાહેર થતાંની સાથે જ ટ્રેનગ અને અન્ય પ્રક્રિયાઓ તરત જ શરૂ થતી હોય છે. આથી કેટલાક ઊમેદવારોએ પોતાની નોકરી પણ છોડી દીધી હતી. જોકે પરિણામ જાહેર થયાના એક વર્ષ બાદ પણ હજુ સુધી સામાન્ય વહીવટ વિભાગ અને જીપીએસસી બંને વચ્ચે ઊમેદવારોને કયારે પોસ્ટગ આપવું તે બાબતે કોઇ જ ચર્ચા થઇ નથી.
Thursday, April 19, 2012
જીપીએસસીની પરીક્ષા પાસ કરનાર ૩૧૬ ઊમેદવારોનું ભાવિ અધ્ધરતાલ
Friday, April 13, 2012
વધુ ૪૫૦ બસોથી લોકોની પરેશાની દૂર થવાની શકયતા
અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવાની જીવાદોરી સમાન એએમટીએસ બસોની ઓછી સંખ્યાના કારણે પ્રવાસીઓ માટે બસ સેવાનો ઊપયોગ કરવો હેરાન ગતિરૂપ બની રહ્યો છે.
જોકે હવે આ સમસ્યાના ઊકેલ માટે સત્તાધીશોએ નવી ૨૫૦ બસો ખાનગી ઓપરેટરો દ્વારા દોડાવવા નિર્ણય કર્યો છે.
આ માટે તાજેતરમાં જ ટેન્ડર પણ બહાર પાડવામાં આવશે. ઊપરાંત મે માસના અંત સુધીમાં જેએનએન પુરવાર હેઠળની નવી ૨૦૦ બસો પણ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ ર્સિવસને પ્રાપ્ત થશે. જેની ૪૫૦ જેટલી બસોનો વધારો થશે. આમ એએમટીએસનો બસ કાફલો ૧ હજાર બસો કરતાં વધી જશે.
જોકે હવે આ સમસ્યાના ઊકેલ માટે સત્તાધીશોએ નવી ૨૫૦ બસો ખાનગી ઓપરેટરો દ્વારા દોડાવવા નિર્ણય કર્યો છે.
આ માટે તાજેતરમાં જ ટેન્ડર પણ બહાર પાડવામાં આવશે. ઊપરાંત મે માસના અંત સુધીમાં જેએનએન પુરવાર હેઠળની નવી ૨૦૦ બસો પણ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ ર્સિવસને પ્રાપ્ત થશે. જેની ૪૫૦ જેટલી બસોનો વધારો થશે. આમ એએમટીએસનો બસ કાફલો ૧ હજાર બસો કરતાં વધી જશે.
Wednesday, April 11, 2012
મુખ્યપ્રધાન મોદીની કામગીરીથી અન્ના હઝારે ખૂબ જ પ્રભાવિત
મોદી અને નિતીશે ગ્રામીણ સ્તર સુધી જે કામ કર્યું છે તે પ્રશંસનીય છે દેશહિત માટે પ્રશ્નો નહ ઊઠાવવાં બાબા રામદેવને અપીલ.
લોકપાલ બિલ માટે જોઇન્ટ કમિટી બનાવવા માટે સરકારને ફરજ પાડનાર અન્ના હજારે એ બિહારનાં મુખ્યમંત્રી નિતીશ કુમાર અને ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરી છે. તેમણે કહ્યું છે કે જે રીતે આ બંને રાજયોનાં મુખ્યમંત્રીઓએ નીચલા સ્તરે જઇને કામ કર્યું છે.
તેવી જ રીતે બીજી સરકારોએ પણ કામ કરવું જોઇએ. અણ્ણા હજારે એ કહ્યું હતું કે, તેમનાં નિવેદનનો રાજકીય રીતે કોઇપણ અર્થ કાઢવો જોઇએ નહ.
અન્ના એ કહ્યું હતું કે, તેઓ બંને રાજયોનાં મુખ્યમંત્રીઓનાં કામની પ્રશંસા કરી રહ્યા છે. કોઇપણ પાર્ટીનાં પક્ષમાં અથવા તો વિપક્ષમાં તેઓ નથી. પત્રકાર પરિષદમાં અણ્ણાએ મુસદ્દો તૈયાર કરવા માટે બનાવવામાં આવેલી
જોઇન્ટ કમિટીમાં કોઇપણ પ્રકારનાં ફેરફારથી પણ ઇન્કાર કર્યો હતો.
યોગ ગુરૂ બાબા રામદેવ સાથે મતભેદ અંગે અણ્ણાએ કહ્યું હતું કે, કમિટીમાં કિરણ બેદીને સામેલ ન કરવાને લઇને રામદેવ સાથે મતભેદ હતાં. કિરણ બેદીએ પોતે જ કમિટીમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો. અણ્ણાએ કહ્યું હતું કે, તેઓ આ મામલે યોગ ગુરૂ બાબા રામદેવ સાથે વાતચીત કરશે. હાલનાં સમયે આ બાબતની જરૂર છે કે ભ્રષ્ટાચારની સામે કઇ રીતે મજબૂત રીતે ઊભરીને આગળ આવવામાં આવે.
હજારે એ એમ પણ કહ્યું હતું કે, તેઓને સંસદ અને લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ છે પરંતુ પ્રતિનિધિ ભ્રષ્ટાચારી
હોવાની સ્થિતિમાં પ્રજાની પાસે આંદોલન કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહેતો નથી.
લોકપાલ બિલ માટે જોઇન્ટ કમિટી બનાવવા માટે સરકારને ફરજ પાડનાર અન્ના હજારે એ બિહારનાં મુખ્યમંત્રી નિતીશ કુમાર અને ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરી છે. તેમણે કહ્યું છે કે જે રીતે આ બંને રાજયોનાં મુખ્યમંત્રીઓએ નીચલા સ્તરે જઇને કામ કર્યું છે.
તેવી જ રીતે બીજી સરકારોએ પણ કામ કરવું જોઇએ. અણ્ણા હજારે એ કહ્યું હતું કે, તેમનાં નિવેદનનો રાજકીય રીતે કોઇપણ અર્થ કાઢવો જોઇએ નહ.
અન્ના એ કહ્યું હતું કે, તેઓ બંને રાજયોનાં મુખ્યમંત્રીઓનાં કામની પ્રશંસા કરી રહ્યા છે. કોઇપણ પાર્ટીનાં પક્ષમાં અથવા તો વિપક્ષમાં તેઓ નથી. પત્રકાર પરિષદમાં અણ્ણાએ મુસદ્દો તૈયાર કરવા માટે બનાવવામાં આવેલી
જોઇન્ટ કમિટીમાં કોઇપણ પ્રકારનાં ફેરફારથી પણ ઇન્કાર કર્યો હતો.
યોગ ગુરૂ બાબા રામદેવ સાથે મતભેદ અંગે અણ્ણાએ કહ્યું હતું કે, કમિટીમાં કિરણ બેદીને સામેલ ન કરવાને લઇને રામદેવ સાથે મતભેદ હતાં. કિરણ બેદીએ પોતે જ કમિટીમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો. અણ્ણાએ કહ્યું હતું કે, તેઓ આ મામલે યોગ ગુરૂ બાબા રામદેવ સાથે વાતચીત કરશે. હાલનાં સમયે આ બાબતની જરૂર છે કે ભ્રષ્ટાચારની સામે કઇ રીતે મજબૂત રીતે ઊભરીને આગળ આવવામાં આવે.
હજારે એ એમ પણ કહ્યું હતું કે, તેઓને સંસદ અને લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ છે પરંતુ પ્રતિનિધિ ભ્રષ્ટાચારી
હોવાની સ્થિતિમાં પ્રજાની પાસે આંદોલન કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહેતો નથી.
Subscribe to:
Comments (Atom)