Wednesday, April 11, 2012

મુખ્યપ્રધાન મોદીની કામગીરીથી અન્ના હઝારે ખૂબ જ પ્રભાવિત

મોદી અને નિતીશે ગ્રામીણ સ્તર સુધી જે કામ કર્યું છે તે પ્રશંસનીય છે દેશહિત માટે પ્રશ્નો નહ ઊઠાવવાં બાબા રામદેવને અપીલ.

લોકપાલ બિલ માટે જોઇન્ટ કમિટી બનાવવા માટે સરકારને ફરજ પાડનાર અન્ના હજારે એ બિહારનાં મુખ્યમંત્રી નિતીશ કુમાર અને ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરી છે. તેમણે કહ્યું છે કે જે રીતે આ બંને રાજયોનાં મુખ્યમંત્રીઓએ નીચલા સ્તરે જઇને કામ કર્યું છે.

તેવી જ રીતે બીજી સરકારોએ પણ કામ કરવું જોઇએ. અણ્ણા હજારે એ કહ્યું હતું કે, તેમનાં નિવેદનનો રાજકીય રીતે કોઇપણ અર્થ કાઢવો જોઇએ નહ.

અન્ના એ કહ્યું હતું કે, તેઓ બંને રાજયોનાં મુખ્યમંત્રીઓનાં કામની પ્રશંસા કરી રહ્યા છે. કોઇપણ પાર્ટીનાં પક્ષમાં અથવા તો વિપક્ષમાં તેઓ નથી. પત્રકાર પરિષદમાં અણ્ણાએ મુસદ્દો તૈયાર કરવા માટે બનાવવામાં આવેલી
જોઇન્ટ કમિટીમાં કોઇપણ પ્રકારનાં ફેરફારથી પણ ઇન્કાર કર્યો હતો.

યોગ ગુરૂ બાબા રામદેવ સાથે મતભેદ અંગે અણ્ણાએ કહ્યું હતું કે, કમિટીમાં કિરણ બેદીને સામેલ ન કરવાને લઇને રામદેવ સાથે મતભેદ હતાં. કિરણ બેદીએ પોતે જ કમિટીમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો. અણ્ણાએ કહ્યું હતું કે, તેઓ આ મામલે યોગ ગુરૂ બાબા રામદેવ સાથે વાતચીત કરશે. હાલનાં સમયે આ બાબતની જરૂર છે કે ભ્રષ્ટાચારની સામે કઇ રીતે મજબૂત રીતે ઊભરીને આગળ આવવામાં આવે.

હજારે એ એમ પણ કહ્યું હતું કે, તેઓને સંસદ અને લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ છે પરંતુ પ્રતિનિધિ ભ્રષ્ટાચારી
હોવાની સ્થિતિમાં પ્રજાની પાસે આંદોલન કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહેતો નથી.

No comments:

Post a Comment