અમદાવાદ મ્યુનિ. ના ટેક્ષ વિભાગ નાણાકીય વર્ષના અંતે રૂપિયા ૪૫૦ કરોડ જેટલી ટેક્ષની આવકનો લક્ષ્યાંક સિધ્ધ કર્યો છે. તે છતાં હજુ પણ ટેક્ષ વિભાગે ૧૮૦ કરોડની વસૂલાત કરવાની બાકી રહે છે. જેમાં શહેરની વિવિધ ૬૦ જેટલી મિલકતોમાં બંધ મિલો, ઈન્ડસ્ટ્રીઝ, કંપનીઓ, મકાનો કોર્મિશયલ બિલ્ડગ વગેરેનો સમાવેશ થવા જાય છે.
અમદાવાદ મ્યુનિ. ટેક્ષ વિભાગ દ્વારા નાણાકીય વર્ષના અંતે રૂ. ૪૫૦ કરોડના ટેક્ષની આવકનો લક્ષ્યાંક સિધ્ધ કર્યો છે. છતાં હજુ અંદાજે ૧૮૦ કરોડની ટેક્ષની વસૂલાત કરવાની બાકી રહે છે.
તાજેતરમાં મ્યુનિ. ટેક્ષ વિભાગ દ્વારા પ્રોપર્ટી ટેક્ષની વસૂલાત માટે સઘન સીલગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ રિબેટ યોજના જાહેર કરવામાં આવી હતી. રિબેટ યોજનામાં મ્યુનિ.ના ટેક્ષ વિભાગને ધારી સફળતા મળતા તંત્રને મોટાપાયે ટેક્ષની આવક પ્રાપ્ત થઇ હતી.
યોજનામાં સફળતા મળી હોવા છતાં મ્યુનિ. તંત્રના ટેક્ષ વિભાગે જણાવ્યું હતું કે, હજુ અંદાજે ૧૮૦ કરોડનો મિલકતવેરો વસૂલ કરવાનો બાકી રહે છે.
No comments:
Post a Comment