Sunday, March 4, 2012

Ahmedabad News 2012 - દર મહિન ૧૨૦૦૦ નવા વાહનો ઠલવાય છે

અગાઊના વર્ષના પ્રમાણમાં ૩૪ ટકાનો સીધો વધારો વધતા જતા વાહનોના કારણે શહેરમાં ટ્રાફીક નિયમનની વકરતી સમસ્યા બીઆરટીએસ સફળ રહેવા છતાં વાહનોની વધતી સંખ્યા સત્તાવાળાઓ માટે ચતાનો વિષય.

કુલ વાહનોની સંખ્યા ૨૫ લાખથી પણ ઊપર પહાચી. આવતા વર્ષોમાં બીઆરટીએસ પણ નહિ ચાલે મેટ્રો ઈઝ મસ્ટ!!

અમદાવાદ શહેરમાં વાહનોનું પ્રમાણ જે પ્રકારે વધી રહ્યું છે તે જોતાં લોકોને આવતા વર્ષોમાં ત્રણથી ચાર કલાક માટે ટ્રાફીક જામની સ્થિતિનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. આવતા વર્ષોમાં બીઆરટીએસ પણ નહિ ચાલે તેના બદલે ઝડપથી મેટ્રો ટ્રેન દોડાવવાની તૈયારીઓ કરવી પડશે તેમ સેપ્ટ યુનિર્વિસટીના અર્બન પ્લાનગ એન્ડ પોલિસીના સૂત્રોએ પણ માનવમિત્રને જણાવ્યું હતું.

અમદાવાદ શહેરના માર્ગો ઊપર દર મહિને બાર હજાર અને વર્ષે સરેરાશ દોઢ લાખ જેટલા નવા વાહનો ઠલવાઈ રહ્યા છે. શહેરની સીમા ને તેના માર્ગો એના એ જ છે તેમાં વાહનોનો વધતો જતો ખડકલો ટ્રાફીક પોલીસ અને મ્યુનિ. સત્તાવાળાઓ માટે ચતાનો વિષય બની રહ્યો છે. છેલ્લા લગભગ દોઢેક વર્ષથી શહેરના વાહનચાલકો સવારે અને સાંજે પીક અવર્સ દરમિયાન ટ્રાફીકજામની સમસ્યાનો ભોગ બની રહ્યા છે. દરેક ટ્રાફીક સિગ્નલ ઊપર
વાહનોની લાંબી કતારો હવે રોજદા દ્રષ્યો બની ગયા છે. અમદાવાદ શહેરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં દર મહિને સરેરાશ દસ જેટલા દ્વિચક્રી વાહનો અને બે હજારથી પણ વધુ નવી મોટરકારોની નાધણી થઈ રહી છે.

આ પરિસ્થિતિને કારણે અમદાવાદમાં વાહનોની સંખ્યા વધીને ૨૫ લાખ ઊપર પહાચી ગઈ છે. શહેરના રસ્તાઓ ઊપર એક દિવસ એવો આવશે કે માત્ર વાહનો ને વાહનો જ હશે. તે ચલાવવા માટેની કોઈ સ્થિતિ નહિ હોય. અગાઊ દર વર્ષે વાહનોની સંખ્યા સરેરાશ દસ ટકાના દરે વધતી હતી પરંતુ છેલ્લા બે વર્ષથી તેમાં પણ વધારો નાધાયો છે. ગત વર્ષના પ્રમાણમાં આ વધારો ૩૪ ટકા ઊપર પહાચ્યો છે.

No comments:

Post a Comment