ધો. ૯થી ૧૨ સળંગ યુનિટ થતાં સમાન પગાર ધોરણનો શિક્ષણ બોર્ડનો નિર્ણય.
રાજયમાં આવેલી માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શાળાઓની જુદી જુદી પેટર્નને બદલીને હવે એક જ સળંગ યુનિટ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે ત્યારે હવે સળંગ યુનિટ બાદ શિક્ષણ વિભાગ દ્વારા ધો. ૯ થી ૧૨ સુધી ભણાવતાં તમામ શિક્ષકો પગારસ્કેલ સરખા કરવાનું વિચારી રહી છે.
રાજય સરકારે તાજેતરમાં એવી જાહેરાત કરી હતી કે જેમાં ધો. ૮ને પ્રાથમિક શિક્ષણમાં ભેળવી દેવામાં આવ્યું હતું. જયારે ધો. ૯ થી ૧૨ને એક સળંગ યુનિટની ઘોષણા કરવામાં આવી.
શાળાઓમાં પહેલા ધો. ૧ થી ૭ પ્રાથમિક, ૮ થી ૧૦ માધ્યમિક અને ૧૧ થી ૧૨ ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. હવે માત્ર ૧ થી ૮ અને ૯ થી ૧૨ એ બે યુનિટ લેશે. જેનો શિક્ષકો વિરોધ નાધાવી રહ્યાં છે.
સળંગ યુનિટની વાતનું વિરોધ નાધાવતો એક શિક્ષક જણાવે છે કે ધો. ૯ થી ૧૨નું સળંગ યુનિટ કરવાથી રાષ્ટ્રીય
તરાહનું ખંડન થાય છે. આખા દેશમાં ધો. ૯ થી ૧૦ માધ્યમિક અને ધો. ૧૧ અને ધો. ૧૨ ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણની વ્યવસ્થા છે.
ધો. ૯ થી ૧૨માં ફરજ બજાવતાં શિક્ષકોમાં પણ પગારના સ્કેલ જુદા જુદા છે ત્યારે સંચાલકોમાં પણ શિક્ષકની નિમણૂકને લઇને વ્હાલાદવાલાની નિતિ આવવાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે ગુજરાત સરકારના માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખાસ એવી વ્યવસ્થા ગોઠવવા જણાવવામાં આવી રહ્યું છે કે ધો. ૯ થી ૧૨ સુધીમાં ફરજ બજાવતા તમામ શિક્ષકોને એક જ સરખો પગારસ્કેલ મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
No comments:
Post a Comment