Saturday, March 10, 2012

IIM Ahmedabad - દેશમાં ૨૦૧૫ માં ૩.૫ કરોડ ટન ખાતરની જરૂર પડશે

જમીન પર શું ચાલી રહ્યું છે તે ચકાસીને ઠીક કરવા તથા પર્યાવરણને થતી હાનિ અટકાવવા પગલાં લેવાની જરૂર.

દેશમાં જમીન ખેતી હેઠળ હોય તેમાં સચાઇ પાકની સંખ્યા અને ઊત્પાદકતા વધારવી પડશે. જેને પહાચી વળવા ૨૦૧૫- ૨૦૧૬ના વર્ષમાં દેશને સાડાત્રણ કરોડ ટન અને ૨૦૨૦માં દેશને ચાર કરોડ ટન ઊપરાંત ખાતરની જરૂર પડશે. દેશમાં ૨૦૦૯-૧૦ના છેલ્લા પ્રાપ્ત આંકડા અનુસાર ખાતરનો કુલ વપરાશ સવા બે કરોડ ટનથી સહેજ વધારે હતો.

આઇઆઇએમ અમદાવાદ દ્વારા પ્રસિદ્ધ થયેલા સંશોધન પેપરમાં આ વિગતો આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ આઇઆઇએમના કેટલાક ખેતી વિષયના નિષ્ણાતો દ્વારા એક ચાકાવનારો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. જેમાં પહેલા આપણો દેશ નાઇટ્રોજન અને પોટાશના ખાતરના ક્ષેત્રે અગાઊ ખાસ્સો સ્વનિર્ભર હતો પરંતુ પાછલા પાંચ-છ વર્ષમાં એક તરફ પોટાશ ઊપરાંત નાઇટ્રોજન અને ફોસ્ફરસના
નિકાસનું પ્રમાણ ખૂબજ વધ્યું છે.

દેશમાં ખાતરની આયાત વર્ષ ૨૦૦૦માં વીસ લાખ ટન હતી. તો ૨૦૦૮માં એક કરોડ ટનને વટાવી ગઇ હતી. ૨૦૦૯- ૧૦ના વર્ષમાં દેશના કુલ એનપીકે ખાતરના વપરાશનો ૪૧ ટકા હિસ્સો આયાતી હતો. આવનારા વર્ષોમાં આ ત્રણેય તત્ત્વોનો વપરાશ વધતો જવાનો છે. રાસાયણિક ખાતરના માંગ અને પુરવઠાના તાજેતરના વર્ષોમાં નાધાયેલા વધતા તફાવતના પરિણામે સ્થાનિક ઊત્પાદન વધારવા પર પૂરતું ધ્યાન ન અપાતા તમામ મદાર
આયાત પર ઢોળી દેવામાં આવ્યો હોય તેવું ચિત્ર નજર સમક્ષ આવે છે.અમદાવાદ આઇઆઇએમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશના પૂર્વ હિસ્સામાં ખાતરનો વપરાશ સૌથી ઓછો છે. જયારે દક્ષિણ ભારતમાં થોડો
વધુ પશ્ચિમ ભારતમાં તેથી થોડો વધુ અને ઊત્તર ભારતમાં ખાતરનો ઊપયોગ સૌથી વધુ જણાયો છે.

અહેવાલમાં એ વાત પર ચતા વ્યકત કરવામાં આવી છે કે વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૯ વચ્ચે પ્રતિ હેકટર ૨૦૦ કિલોથી વધુ ખાતરનો વપરાશ કરનાર જિલ્લાની સંખ્યા ૩૬ થી વધીને ૧૧૨ થઇ ગઇ છે એટલે કે આવા જિલ્લા ત્રણગણા થયા છે. વધુમાં દેશમાં ૧૮ ટકા જિલ્લા એવા છે કે જે દેશના કુલ ખાતરનું અડધોઅડધ ખાતર
વાપરે છે. આ જિલ્લાઓમાં જમીન પર શું ચાલી રહ્યું છે તે ચકાસીને સ્થિતિ ઠીક કરવા તથા પર્યાવરણને થતી હાનિ અટકાવવા પગલાં લેવાની જરૂર છે.

No comments:

Post a Comment