Thursday, March 8, 2012

PTC Gujarat 2012 - ટેટ પાસ કરવી પડશ

ટેટની પરીક્ષામાં આઠ પેરામીટર પાર કરીને ઊમેદવારે પાસ થવાનું રહેશે પ્રાયમરી સ્કૂલોમાં ‘શિક્ષક’ બનવા
માટે ઊમેદવારોએ હવે મહેનત કરવી પડશે.

હવે રાજય પ્રાથમિક શાળાઓમાં પણ શિક્ષક તરીકેની નોકરી મેળવવા માટે ઊમેદવારોએ વધારે મહેનત કરવી પડશે. પહેલાં રાજયમાં શિક્ષક તરીકેની નોકરી મેળવવા માત્ર ડિગ્રી અને ઈન્ટરવ્યૂ જ આપવા પડતાં હતા પણ હવે રાજયની પ્રાથમિક શાળાઓમાં ધો. ૧ થી ૮માં શિક્ષક તરીકે નોકરી મેળવવા માટે ‘ટીચર એલિજિબિલિટી’ (ટીઇટી)ની પરીક્ષા પાસ કરવી પડશે. રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જૂન-૨૦૧૧ થી રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકેની નોકરી મેળવવા માટે ટીઇટીની પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડશે.

રાજયના શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જાહેર કરવામાં આવ્યું છે
કે રાજયની પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકની નોકરી મેળવવા માટે અરજી કરનાર દરેક ઊમેદવારે પોતાની અરજી સાથે ટીઇટી પાસ કર્યાની માર્કશીટ પણ મૂકવી પડશે. ઊપરાંત ધો. ૧થી ધો. ૫ સુધીમાં શિક્ષક તરીકેની નોકરી મેળવવા માટે ટીઇટીની પરીક્ષામાં લઘુત્તમ ૬૦ ટકા મેળવવા ફરજિયાત છે.

રાજયની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે સારા શિક્ષકો હોવા અનિવાર્ય છે. ટીઇટી પરીક્ષા અનિવાર્ય કરતાં હવે સ્કૂલોમાં સારા શિક્ષકો આવશે.

રાજય સરકાર દ્વારા માત્ર સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરી મેળવવા માટે જ નહિ પણ ખાનગી
શાળાઓમાં પણ નોકરી માટે ટીઇટી ફરજિયાત કરાઇ છે. શિક્ષક બનવા માટે ટીઇટીમાં ઊમેદવારોએ ભણવવાની કળા, જનરલ નોલેજ, ર્તાિકક જ્ઞાન અને અપ્ટિટ્યૂટ પ્રકારના ૮ જુદા-જુદા માનાંકોમાંથી પસાર થવું પડશે. આ પરીક્ષાને લગતી તમામ પ્રકારની માહિતી ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. ટીઇટીની પરીક્ષા પાસ કર્યાના પાંચ વર્ષ સુધી તે સ્કોર ઊપયોગી ગણાશે.

No comments:

Post a Comment