Friday, April 13, 2012

વધુ ૪૫૦ બસોથી લોકોની પરેશાની દૂર થવાની શકયતા

અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવાની જીવાદોરી સમાન એએમટીએસ બસોની ઓછી સંખ્યાના કારણે પ્રવાસીઓ માટે બસ સેવાનો ઊપયોગ કરવો હેરાન ગતિરૂપ બની રહ્યો છે.

જોકે હવે આ સમસ્યાના ઊકેલ માટે સત્તાધીશોએ નવી ૨૫૦ બસો ખાનગી ઓપરેટરો દ્વારા દોડાવવા નિર્ણય કર્યો છે.

આ માટે તાજેતરમાં જ ટેન્ડર પણ બહાર પાડવામાં આવશે. ઊપરાંત મે માસના અંત સુધીમાં જેએનએન પુરવાર હેઠળની નવી ૨૦૦ બસો પણ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ ર્સિવસને પ્રાપ્ત થશે. જેની ૪૫૦ જેટલી બસોનો વધારો થશે. આમ એએમટીએસનો બસ કાફલો ૧ હજાર બસો કરતાં વધી જશે.

No comments:

Post a Comment