Saturday, March 24, 2012

Ahmedabad Municipal Corporation - અંદાજે ૧૮૦ કરોડ વસૂલવાના બાકી

અમદાવાદ મ્યુનિ. ના ટેક્ષ વિભાગ નાણાકીય વર્ષના અંતે રૂપિયા ૪૫૦ કરોડ જેટલી ટેક્ષની આવકનો લક્ષ્યાંક સિધ્ધ કર્યો છે. તે છતાં હજુ પણ ટેક્ષ વિભાગે ૧૮૦ કરોડની વસૂલાત કરવાની બાકી રહે છે. જેમાં શહેરની વિવિધ ૬૦ જેટલી મિલકતોમાં બંધ મિલો, ઈન્ડસ્ટ્રીઝ, કંપનીઓ, મકાનો કોર્મિશયલ બિલ્ડગ વગેરેનો સમાવેશ થવા જાય છે.

અમદાવાદ મ્યુનિ. ટેક્ષ વિભાગ દ્વારા નાણાકીય વર્ષના અંતે રૂ. ૪૫૦ કરોડના ટેક્ષની આવકનો લક્ષ્યાંક સિધ્ધ કર્યો છે. છતાં હજુ અંદાજે ૧૮૦ કરોડની ટેક્ષની વસૂલાત કરવાની બાકી રહે છે.

તાજેતરમાં મ્યુનિ. ટેક્ષ વિભાગ દ્વારા પ્રોપર્ટી ટેક્ષની વસૂલાત માટે સઘન સીલગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ રિબેટ યોજના જાહેર કરવામાં આવી હતી. રિબેટ યોજનામાં મ્યુનિ.ના ટેક્ષ વિભાગને ધારી સફળતા મળતા તંત્રને મોટાપાયે ટેક્ષની આવક પ્રાપ્ત થઇ હતી.

યોજનામાં સફળતા મળી હોવા છતાં મ્યુનિ. તંત્રના ટેક્ષ વિભાગે જણાવ્યું હતું કે, હજુ અંદાજે ૧૮૦ કરોડનો મિલકતવેરો વસૂલ કરવાનો બાકી રહે છે.

Wednesday, March 21, 2012

Gujarat Educational News - ૯ થી ૧૨ ના શિક્ષકોને સરખો પગાર સ્કેલ

ધો. ૯થી ૧૨ સળંગ યુનિટ થતાં સમાન પગાર ધોરણનો શિક્ષણ બોર્ડનો નિર્ણય.

રાજયમાં આવેલી માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શાળાઓની જુદી જુદી પેટર્નને બદલીને હવે એક જ સળંગ યુનિટ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે ત્યારે હવે સળંગ યુનિટ બાદ શિક્ષણ વિભાગ દ્વારા ધો. ૯ થી ૧૨ સુધી ભણાવતાં તમામ શિક્ષકો પગારસ્કેલ સરખા કરવાનું વિચારી રહી છે.

રાજય સરકારે તાજેતરમાં એવી જાહેરાત કરી હતી કે જેમાં ધો. ૮ને પ્રાથમિક શિક્ષણમાં ભેળવી દેવામાં આવ્યું હતું. જયારે ધો. ૯ થી ૧૨ને એક સળંગ યુનિટની ઘોષણા કરવામાં આવી.

શાળાઓમાં પહેલા ધો. ૧ થી ૭ પ્રાથમિક, ૮ થી ૧૦ માધ્યમિક અને ૧૧ થી ૧૨ ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. હવે માત્ર ૧ થી ૮ અને ૯ થી ૧૨ એ બે યુનિટ લેશે. જેનો શિક્ષકો વિરોધ નાધાવી રહ્યાં છે.

સળંગ યુનિટની વાતનું વિરોધ નાધાવતો એક શિક્ષક જણાવે છે કે ધો. ૯ થી ૧૨નું સળંગ યુનિટ કરવાથી રાષ્ટ્રીય
તરાહનું ખંડન થાય છે. આખા દેશમાં ધો. ૯ થી ૧૦ માધ્યમિક અને ધો. ૧૧ અને ધો. ૧૨ ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણની વ્યવસ્થા છે.

ધો. ૯ થી ૧૨માં ફરજ બજાવતાં શિક્ષકોમાં પણ પગારના સ્કેલ જુદા જુદા છે ત્યારે સંચાલકોમાં પણ શિક્ષકની નિમણૂકને લઇને વ્હાલાદવાલાની નિતિ આવવાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે ગુજરાત સરકારના માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખાસ એવી વ્યવસ્થા ગોઠવવા જણાવવામાં આવી રહ્યું છે કે ધો. ૯ થી ૧૨ સુધીમાં ફરજ બજાવતા તમામ શિક્ષકોને એક જ સરખો પગારસ્કેલ મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

Saturday, March 10, 2012

IIM Ahmedabad - દેશમાં ૨૦૧૫ માં ૩.૫ કરોડ ટન ખાતરની જરૂર પડશે

જમીન પર શું ચાલી રહ્યું છે તે ચકાસીને ઠીક કરવા તથા પર્યાવરણને થતી હાનિ અટકાવવા પગલાં લેવાની જરૂર.

દેશમાં જમીન ખેતી હેઠળ હોય તેમાં સચાઇ પાકની સંખ્યા અને ઊત્પાદકતા વધારવી પડશે. જેને પહાચી વળવા ૨૦૧૫- ૨૦૧૬ના વર્ષમાં દેશને સાડાત્રણ કરોડ ટન અને ૨૦૨૦માં દેશને ચાર કરોડ ટન ઊપરાંત ખાતરની જરૂર પડશે. દેશમાં ૨૦૦૯-૧૦ના છેલ્લા પ્રાપ્ત આંકડા અનુસાર ખાતરનો કુલ વપરાશ સવા બે કરોડ ટનથી સહેજ વધારે હતો.

આઇઆઇએમ અમદાવાદ દ્વારા પ્રસિદ્ધ થયેલા સંશોધન પેપરમાં આ વિગતો આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ આઇઆઇએમના કેટલાક ખેતી વિષયના નિષ્ણાતો દ્વારા એક ચાકાવનારો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. જેમાં પહેલા આપણો દેશ નાઇટ્રોજન અને પોટાશના ખાતરના ક્ષેત્રે અગાઊ ખાસ્સો સ્વનિર્ભર હતો પરંતુ પાછલા પાંચ-છ વર્ષમાં એક તરફ પોટાશ ઊપરાંત નાઇટ્રોજન અને ફોસ્ફરસના
નિકાસનું પ્રમાણ ખૂબજ વધ્યું છે.

દેશમાં ખાતરની આયાત વર્ષ ૨૦૦૦માં વીસ લાખ ટન હતી. તો ૨૦૦૮માં એક કરોડ ટનને વટાવી ગઇ હતી. ૨૦૦૯- ૧૦ના વર્ષમાં દેશના કુલ એનપીકે ખાતરના વપરાશનો ૪૧ ટકા હિસ્સો આયાતી હતો. આવનારા વર્ષોમાં આ ત્રણેય તત્ત્વોનો વપરાશ વધતો જવાનો છે. રાસાયણિક ખાતરના માંગ અને પુરવઠાના તાજેતરના વર્ષોમાં નાધાયેલા વધતા તફાવતના પરિણામે સ્થાનિક ઊત્પાદન વધારવા પર પૂરતું ધ્યાન ન અપાતા તમામ મદાર
આયાત પર ઢોળી દેવામાં આવ્યો હોય તેવું ચિત્ર નજર સમક્ષ આવે છે.અમદાવાદ આઇઆઇએમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશના પૂર્વ હિસ્સામાં ખાતરનો વપરાશ સૌથી ઓછો છે. જયારે દક્ષિણ ભારતમાં થોડો
વધુ પશ્ચિમ ભારતમાં તેથી થોડો વધુ અને ઊત્તર ભારતમાં ખાતરનો ઊપયોગ સૌથી વધુ જણાયો છે.

અહેવાલમાં એ વાત પર ચતા વ્યકત કરવામાં આવી છે કે વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૯ વચ્ચે પ્રતિ હેકટર ૨૦૦ કિલોથી વધુ ખાતરનો વપરાશ કરનાર જિલ્લાની સંખ્યા ૩૬ થી વધીને ૧૧૨ થઇ ગઇ છે એટલે કે આવા જિલ્લા ત્રણગણા થયા છે. વધુમાં દેશમાં ૧૮ ટકા જિલ્લા એવા છે કે જે દેશના કુલ ખાતરનું અડધોઅડધ ખાતર
વાપરે છે. આ જિલ્લાઓમાં જમીન પર શું ચાલી રહ્યું છે તે ચકાસીને સ્થિતિ ઠીક કરવા તથા પર્યાવરણને થતી હાનિ અટકાવવા પગલાં લેવાની જરૂર છે.

Thursday, March 8, 2012

PTC Gujarat 2012 - ટેટ પાસ કરવી પડશ

ટેટની પરીક્ષામાં આઠ પેરામીટર પાર કરીને ઊમેદવારે પાસ થવાનું રહેશે પ્રાયમરી સ્કૂલોમાં ‘શિક્ષક’ બનવા
માટે ઊમેદવારોએ હવે મહેનત કરવી પડશે.

હવે રાજય પ્રાથમિક શાળાઓમાં પણ શિક્ષક તરીકેની નોકરી મેળવવા માટે ઊમેદવારોએ વધારે મહેનત કરવી પડશે. પહેલાં રાજયમાં શિક્ષક તરીકેની નોકરી મેળવવા માત્ર ડિગ્રી અને ઈન્ટરવ્યૂ જ આપવા પડતાં હતા પણ હવે રાજયની પ્રાથમિક શાળાઓમાં ધો. ૧ થી ૮માં શિક્ષક તરીકે નોકરી મેળવવા માટે ‘ટીચર એલિજિબિલિટી’ (ટીઇટી)ની પરીક્ષા પાસ કરવી પડશે. રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જૂન-૨૦૧૧ થી રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકેની નોકરી મેળવવા માટે ટીઇટીની પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડશે.

રાજયના શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જાહેર કરવામાં આવ્યું છે
કે રાજયની પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકની નોકરી મેળવવા માટે અરજી કરનાર દરેક ઊમેદવારે પોતાની અરજી સાથે ટીઇટી પાસ કર્યાની માર્કશીટ પણ મૂકવી પડશે. ઊપરાંત ધો. ૧થી ધો. ૫ સુધીમાં શિક્ષક તરીકેની નોકરી મેળવવા માટે ટીઇટીની પરીક્ષામાં લઘુત્તમ ૬૦ ટકા મેળવવા ફરજિયાત છે.

રાજયની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે સારા શિક્ષકો હોવા અનિવાર્ય છે. ટીઇટી પરીક્ષા અનિવાર્ય કરતાં હવે સ્કૂલોમાં સારા શિક્ષકો આવશે.

રાજય સરકાર દ્વારા માત્ર સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરી મેળવવા માટે જ નહિ પણ ખાનગી
શાળાઓમાં પણ નોકરી માટે ટીઇટી ફરજિયાત કરાઇ છે. શિક્ષક બનવા માટે ટીઇટીમાં ઊમેદવારોએ ભણવવાની કળા, જનરલ નોલેજ, ર્તાિકક જ્ઞાન અને અપ્ટિટ્યૂટ પ્રકારના ૮ જુદા-જુદા માનાંકોમાંથી પસાર થવું પડશે. આ પરીક્ષાને લગતી તમામ પ્રકારની માહિતી ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. ટીઇટીની પરીક્ષા પાસ કર્યાના પાંચ વર્ષ સુધી તે સ્કોર ઊપયોગી ગણાશે.

Sunday, March 4, 2012

Ahmedabad News 2012 - દર મહિન ૧૨૦૦૦ નવા વાહનો ઠલવાય છે

અગાઊના વર્ષના પ્રમાણમાં ૩૪ ટકાનો સીધો વધારો વધતા જતા વાહનોના કારણે શહેરમાં ટ્રાફીક નિયમનની વકરતી સમસ્યા બીઆરટીએસ સફળ રહેવા છતાં વાહનોની વધતી સંખ્યા સત્તાવાળાઓ માટે ચતાનો વિષય.

કુલ વાહનોની સંખ્યા ૨૫ લાખથી પણ ઊપર પહાચી. આવતા વર્ષોમાં બીઆરટીએસ પણ નહિ ચાલે મેટ્રો ઈઝ મસ્ટ!!

અમદાવાદ શહેરમાં વાહનોનું પ્રમાણ જે પ્રકારે વધી રહ્યું છે તે જોતાં લોકોને આવતા વર્ષોમાં ત્રણથી ચાર કલાક માટે ટ્રાફીક જામની સ્થિતિનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. આવતા વર્ષોમાં બીઆરટીએસ પણ નહિ ચાલે તેના બદલે ઝડપથી મેટ્રો ટ્રેન દોડાવવાની તૈયારીઓ કરવી પડશે તેમ સેપ્ટ યુનિર્વિસટીના અર્બન પ્લાનગ એન્ડ પોલિસીના સૂત્રોએ પણ માનવમિત્રને જણાવ્યું હતું.

અમદાવાદ શહેરના માર્ગો ઊપર દર મહિને બાર હજાર અને વર્ષે સરેરાશ દોઢ લાખ જેટલા નવા વાહનો ઠલવાઈ રહ્યા છે. શહેરની સીમા ને તેના માર્ગો એના એ જ છે તેમાં વાહનોનો વધતો જતો ખડકલો ટ્રાફીક પોલીસ અને મ્યુનિ. સત્તાવાળાઓ માટે ચતાનો વિષય બની રહ્યો છે. છેલ્લા લગભગ દોઢેક વર્ષથી શહેરના વાહનચાલકો સવારે અને સાંજે પીક અવર્સ દરમિયાન ટ્રાફીકજામની સમસ્યાનો ભોગ બની રહ્યા છે. દરેક ટ્રાફીક સિગ્નલ ઊપર
વાહનોની લાંબી કતારો હવે રોજદા દ્રષ્યો બની ગયા છે. અમદાવાદ શહેરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં દર મહિને સરેરાશ દસ જેટલા દ્વિચક્રી વાહનો અને બે હજારથી પણ વધુ નવી મોટરકારોની નાધણી થઈ રહી છે.

આ પરિસ્થિતિને કારણે અમદાવાદમાં વાહનોની સંખ્યા વધીને ૨૫ લાખ ઊપર પહાચી ગઈ છે. શહેરના રસ્તાઓ ઊપર એક દિવસ એવો આવશે કે માત્ર વાહનો ને વાહનો જ હશે. તે ચલાવવા માટેની કોઈ સ્થિતિ નહિ હોય. અગાઊ દર વર્ષે વાહનોની સંખ્યા સરેરાશ દસ ટકાના દરે વધતી હતી પરંતુ છેલ્લા બે વર્ષથી તેમાં પણ વધારો નાધાયો છે. ગત વર્ષના પ્રમાણમાં આ વધારો ૩૪ ટકા ઊપર પહાચ્યો છે.