Friday, May 25, 2012

પ્રોફેશનલ ર્કોસસની પ્રવેશ કાર્યવાહી ૧૩ મે થી શરૂ થશે

સૌથી વધુ ૩૯૦૦૦ બેઠકો તો ખાલી ઇજનેરી શાખાની છે.

એડમિશન કમિટી ફોર ધ પ્રોફેશનલ ર્કોિસસ (એસીપીસી) દ્વારા મેડિકલ, એન્જિન્યરગ, ફાર્મસી અન્ય બીજી પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશની કાર્યવાહી ૧૩મે ૨૦૧૧ના રોજથી શરૂ થશે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૨ મે ૨૦૧૧ના રોજ આવશે.

એસીપીસી દ્વારા વિવિધ પ્રકારના પ્રોફેશનલ કોર્સ માટેના પ્રવેશ ફોર્મના વિતરણની કાર્યવાહી ૧૩મે ૨૦૧૧ના રોજથી થશે જેમા ંરાજયના ૬૦ જેટલા વિવિધ સેન્ટરો માંથી ફોર્મની વહચણી કરવામાં આવશે. હાલમાં એસીપીસીના સતાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ પ્રકારના કોર્સમાં પ્રવેશ- પ્રક્રિયા કરવાની તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવલી છે. જેથી જે ફોર્મની છપાવવાની કામગીરીમાં શિક્ષણ વિભાગની મંજૂરી બાદ છપાશે પ્રવેશ પ્રક્રિયાના જાતિ-નિયમોનો ડ્રાફટ બનાવીને તેને શિક્ષણ વિભાગમાં મોકલી અપાયો છે અને જયારે નિયમોને શિક્ષણ વિભાગ મંજૂરીની મહોર મારશે બાદમાં પ્રોફેશનલ કોર્સ માટેના ફોર્મ છપાવવા માટે મોકલી દેવામાં આવશે ધો.૧૨ની પરીક્ષામાં ૯૧૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ ૧૨મના રોજ આવશે

વિવિધ પ્રકારના કોર્સમાં ૪૫૦૦૦થી વધુ બેઠકો છે. જેમાં સૌથી વધુ ૩૯૦૦૦ બેઠકો તો ખાલી ઇજનેરી શાખાની છે.

સહોના આશ્રય સ્થાન ક્રાંકચનાજંગલમાં આગ લાગતાં ઘાસ-બાવળનો નાશ થયા

૭૦૦ વિઘાથી વધુ વિસ્તારમાં અચાનક આગ લાગી જતાં કોઇ દુર્ઘટના બની નથી.

અમદાવાદ, તા.૧૮ ગીર અભ્યારણ્ય સહોના વસવાટ માટે જાણીતું છે. પરંતુ ગીર જંગલ બહાર નીકળેલા સાવજો અમરેલી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે. તે પૈકી ૨૩ સાવજોનું વિશાળ ગ્રૂપ ક્રાંકચ તથા

આજુબાજુના ગામડાઓમાં વસે છે. આ વિસ્તારમાં મહદ્અંશે બાવળના કાંટાનું જંગલ છે. બાવળ ઊપરાંત ઘાસ પુષ્કળ પાકે છે. ખારા પાટનો વિસ્તાર હોવાથી ખેતીની દૃષ્ટિએ સાવ ઊજજડ છે. તેથી સાવજોને અહ ગોઠી ગયું

છે. ગઇરાત્રે અહ અચાનક આગ લાગતા સહ માટે ખતરો પેદા થયો હતો. જો કોઇ અઘટિત ઘટના બની ન હતી.

લીલિયા તાલુકાના ક્રાંકચ ગામની સીમમાં અચાનક આગ લાગતા ગીરની બહાર નીકળેલા સહો અહ વસવાટ કરે છે. તદ્ઊપરાંત અન્ય વન્ય પ્રાણીઓનું પણ આશ્રય સ્થાન બની રહ્યું છે. આગ લાગતા આશરે ૭૦૦ વિઘાથી વધુ વિસ્તારમાં ઘાસ અને બાવળનો નાશ થઇ ગયો હતો. આગ આપમેળેજ કાબૂમાં આવી ગઇ હતી.

જંગલખાતાના અધિકારીઓ દોડી આવ્યા હતાં. આગ લાગી ત્યારે સહણ તેના પાંચ બચ્ચા સાથે વિહરતી હતી પરંતુ તેઓને કોઇ પ્રકારનું નુકસાન થવા પામ્યું ન હતું. પરંતુ તેમના રહેઠાણને નુકસાન જરૂર પહાચ્યું છે અહ સહની સાથે સાથે અન્ય વન્યપ્રાણીઓ જેવા કે નીલગાય, હરણ, શિયાળ જેવા પ્રાણીઓ પણ વસે છે. જો કે આગને કારણે નાના જીવજંતુઓનો નાશ થવા પામ્યો હતો. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ક્રાંકચની સીમમાં લાગેલી આગ આકસ્મિક ઘટના ન હતી પરંતુ જાણી જોઇને લગાડવામાં આવી હોવાનો આક્ષેપ સ્થાનિકમાના કેટલાક લોકો કરી રહ્યા છે. લોકોમાં આગનો મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો હતો. આગના લીધે સરકારી પડતર જમીન ઊપરાંત ખાનગી માલિકીની વાડીઓમાં ઘાસ અને બાવળને નુકસાન થવા પામ્યું હતું.

Tuesday, May 22, 2012

ઇન્કમટેકસ કરદાતાઓ માટે આઠ પ્રકારના નવા ફોર્મ બહાર પાડશે

હાલમાં કાનૂન વ્યવસ્થા પ્રમાણે ફોર્મના અભ્યાસ બાદ બહાર પડાશ.

ઇન્કમટેકસ વિભાગે નાના કરદાતાઓ માટે સુગમ ફોર્મ વધારે સરળ રીતે ભરી શકે તેના માટે આઠ પ્રકારના નવા ફોર્મ સાથે બહાર પાડવામાં આવશે. હવે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૧- ૧૨ માટે નવા આઠ પ્રકારના ફોર્મ ભરી કરદાતા ફાઇલ કરી શકશે તેવું આઇટીના સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વેતન કર્મચારીઓ સરળ-૨ ફોર્મ દ્વારા આઇટી રિર્ટન ભરતા હતા પરંતુ સરળ-૨ ફોર્મ કરતાં સુગમ ફોર્મ વધારે સરળ બનાવવામાં

આવ્યું છે. આઇટી દ્વારા કરદાતાઓ માટે બહાર પાડવામાં આવનાર આઠ નવા પ્રકારના ફોર્મમાં વ્યકિતગત કરદાતા ભાગીદારી પેઢી, પગારધારકો, વ્યાજની આવક કમાતા, કોર્પોરેટ સેકટર, ટ્રસ્ટોનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય બજેટમાં સુગમ ફોર્મની જાહેરાત બાદ આ વર્ષે આઠ આઇટીઆર ફોર્મ દાખલ કરાયા છે આ વખતે ઈન્ફ્રાસ્ટ્રકચર બોન્ડના ૨૦૦૦૦ સુધીના રોકાણમાં કપાતનો લાભ જાહેર થતાં ફોર્મમાં એક કોલમ ઊમેરાયું છે.

આઇટીઆર-૧ પગાર અને વ્યાજની આવકવાળા માટે, આઇટીઆર-૨, વ્યકિતગત કે એચયુએફ જો પગાર, વ્યાજ, કેપિટલ ગેઇન, કે હાઊસગ લોનનું વ્યાજ કપાત તરીકે બાદ લેતા હોય તો ભરવાનું, આઇટીઆર-૩માં ભાગીદારી પેઢીના ભાગીદારકરદાતા માટે, આઇટીઆર-૪માં ઓડિટપાત્ર ટર્નઓવર ધરાવતા વ્યકિતગત અને એચયુએફ કરદાતાઓ ભરવાનું રહેશે, ભાગીદારી પેઢી, એસોસિએટેડ આૅફ પર્સન, અને બીએઆઇ માટે આઇટીઆર-૫ અને આઇટીઆર-૬ કંપની કરદાતા માટે અને ટ્રસ્ટો માટે આઇટીઆર-૭ ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. જયારે આઇટીઆર-૮માં ઇન્ફાસ્ટ્રકચર બોન્ડના ૨૦૦૦૦ સુધીના રોકાણમાં કપાતનો લાભ જાહેર થતા ફોર્મમાં એક નવું કોલમ ઊમેરાયું છે.