Friday, May 25, 2012

સહોના આશ્રય સ્થાન ક્રાંકચનાજંગલમાં આગ લાગતાં ઘાસ-બાવળનો નાશ થયા

૭૦૦ વિઘાથી વધુ વિસ્તારમાં અચાનક આગ લાગી જતાં કોઇ દુર્ઘટના બની નથી.

અમદાવાદ, તા.૧૮ ગીર અભ્યારણ્ય સહોના વસવાટ માટે જાણીતું છે. પરંતુ ગીર જંગલ બહાર નીકળેલા સાવજો અમરેલી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે. તે પૈકી ૨૩ સાવજોનું વિશાળ ગ્રૂપ ક્રાંકચ તથા

આજુબાજુના ગામડાઓમાં વસે છે. આ વિસ્તારમાં મહદ્અંશે બાવળના કાંટાનું જંગલ છે. બાવળ ઊપરાંત ઘાસ પુષ્કળ પાકે છે. ખારા પાટનો વિસ્તાર હોવાથી ખેતીની દૃષ્ટિએ સાવ ઊજજડ છે. તેથી સાવજોને અહ ગોઠી ગયું

છે. ગઇરાત્રે અહ અચાનક આગ લાગતા સહ માટે ખતરો પેદા થયો હતો. જો કોઇ અઘટિત ઘટના બની ન હતી.

લીલિયા તાલુકાના ક્રાંકચ ગામની સીમમાં અચાનક આગ લાગતા ગીરની બહાર નીકળેલા સહો અહ વસવાટ કરે છે. તદ્ઊપરાંત અન્ય વન્ય પ્રાણીઓનું પણ આશ્રય સ્થાન બની રહ્યું છે. આગ લાગતા આશરે ૭૦૦ વિઘાથી વધુ વિસ્તારમાં ઘાસ અને બાવળનો નાશ થઇ ગયો હતો. આગ આપમેળેજ કાબૂમાં આવી ગઇ હતી.

જંગલખાતાના અધિકારીઓ દોડી આવ્યા હતાં. આગ લાગી ત્યારે સહણ તેના પાંચ બચ્ચા સાથે વિહરતી હતી પરંતુ તેઓને કોઇ પ્રકારનું નુકસાન થવા પામ્યું ન હતું. પરંતુ તેમના રહેઠાણને નુકસાન જરૂર પહાચ્યું છે અહ સહની સાથે સાથે અન્ય વન્યપ્રાણીઓ જેવા કે નીલગાય, હરણ, શિયાળ જેવા પ્રાણીઓ પણ વસે છે. જો કે આગને કારણે નાના જીવજંતુઓનો નાશ થવા પામ્યો હતો. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ક્રાંકચની સીમમાં લાગેલી આગ આકસ્મિક ઘટના ન હતી પરંતુ જાણી જોઇને લગાડવામાં આવી હોવાનો આક્ષેપ સ્થાનિકમાના કેટલાક લોકો કરી રહ્યા છે. લોકોમાં આગનો મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો હતો. આગના લીધે સરકારી પડતર જમીન ઊપરાંત ખાનગી માલિકીની વાડીઓમાં ઘાસ અને બાવળને નુકસાન થવા પામ્યું હતું.

No comments:

Post a Comment