પ્રકૃતિની ગોદ સમા જૂનાગઢના ભવનાથમાં યોજાતી લીલી પરિક્રમામાં દેશ-વિદેશથી લાખો યાત્રાળુઓ જોડાય છે ત્યારે થોડા જ દિવસોમાં શરૂ થનાર લીલી પરિક્રમામાં યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેની વ્યવસ્થા અર્થે તેમજ ખાણી-પીણીની વેચાણ વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા અંગે આગામી દિવસોમાં જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાનાર છે.
પરિક્રમા માર્ગ રિપેરિંગ ટૂંક સમયમાં શરૂ કરાશે. પરંપરાગત રીતે ગરવા ગિરનારની ગોદમાં ર્કાિતક અગિયારથી યોજાતી લીલી પરિક્રમા આગામી તા. ૬/૧૧થી શરૂ થનાર છે ત્યારે તંત્ર દ્વારા પરિક્રમામાં આવતા લાખો યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટેના તમામ આયોજનો અત્યારથી હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આગામી તા. ૧૦ના બપોરે ૧૨ કલાકે જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાનાર બેઠકમાં પરિક્રમા દરમિયાન ટ્રાફિક નિયમન, વાહન વ્યવહાર સુવિધાઓ અને વ્યવસ્થાઓ, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્યપ્રદ ખાદ્યચીજવસ્તુઓ, દૂધના વેચાણ અંગેની વ્યવસ્થા તથા પરાક્રમાર્થીઓના આરોગ્ય તેમજ કાયદો અને વ્યવસ્થાપનની જાળવણી માટેના આયોજનો હાથ ધરાશે ત્યારે સંબંધિત અધિકારીઓને તેમની હેઠળ આવતી બાબતોની આધુનિક માહિતી સાથે બેઠકમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
No comments:
Post a Comment