એપીએલ યોજનામાંથી બચત થયેલો અનાજનો જથ્થો અન્નમ્ બ્રહ્મના લાભાર્થીને અપાય છે
અમદાવાદ શહેરમાં ગત એપ્રિલ ૨૦૧૦થી શરૂ કરવામાં આવેલી અન્નમ બ્રહ્મ યોજનામાં એપીએલ યોજનામાંથી બચતમાં રહેતા અનાજના જથ્થામાંથી અનાજમાંથી કુલ ૬૪૩ લાભાર્થીઓને અનાજનું વિતરણ
કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં અન્નમ બ્રહ્મ યોજના શરૂ કરવામાં આવી તે અંગે એલિસબિ્રજના ભાજપ ના ધારાસભ્ય રાકેશ શાહે પૂછેલા પ્રશ્નનો લેખિતમાં ઉત્તર આપતા નાગરિક પુરવઠા પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજય સરકારે વર્ષ ૨૦૧૦-૧૧ના ગત વર્ષમાં એપ્રિલ ૨૦૧૦માં આયોજના શરૂ કરવામાં આવી હતી. આ અન્નમ્ બ્રહ્મ યોજના માટે કોઈ પ્રકારનો જથ્થો રિઝર્વ રાખવામાં આવતો જ નથી. પરંતુ એપીએલ યોજનામાંથી બચતમાં રહેલા અનાજના જથ્થામાંથી અન્નમ્બ્રહ્મ યોજનાના લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આવે છે તેવી માહિતી રાજયના પૂરવઠા પ્રધાને ગૃહમાં આપી હતી. વધુમાં જણાવતા કહ્યું કે રાજય સરકારે એપ્રિલ ૨૦૧૦માં શરૂ કરેલી અન્નમ્ બ્રહ્મ યોજના હેઠળ ૬૪૩ જેટલા લાભાર્થીઓએ અનાજની માંગણી કરી હતી.
અમદાવાદ શહેરમાં ગત એપ્રિલ ૨૦૧૦થી શરૂ કરવામાં આવેલી અન્નમ બ્રહ્મ યોજનામાં એપીએલ યોજનામાંથી બચતમાં રહેતા અનાજના જથ્થામાંથી અનાજમાંથી કુલ ૬૪૩ લાભાર્થીઓને અનાજનું વિતરણ
કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં અન્નમ બ્રહ્મ યોજના શરૂ કરવામાં આવી તે અંગે એલિસબિ્રજના ભાજપ ના ધારાસભ્ય રાકેશ શાહે પૂછેલા પ્રશ્નનો લેખિતમાં ઉત્તર આપતા નાગરિક પુરવઠા પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજય સરકારે વર્ષ ૨૦૧૦-૧૧ના ગત વર્ષમાં એપ્રિલ ૨૦૧૦માં આયોજના શરૂ કરવામાં આવી હતી. આ અન્નમ્ બ્રહ્મ યોજના માટે કોઈ પ્રકારનો જથ્થો રિઝર્વ રાખવામાં આવતો જ નથી. પરંતુ એપીએલ યોજનામાંથી બચતમાં રહેલા અનાજના જથ્થામાંથી અન્નમ્બ્રહ્મ યોજનાના લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આવે છે તેવી માહિતી રાજયના પૂરવઠા પ્રધાને ગૃહમાં આપી હતી. વધુમાં જણાવતા કહ્યું કે રાજય સરકારે એપ્રિલ ૨૦૧૦માં શરૂ કરેલી અન્નમ્ બ્રહ્મ યોજના હેઠળ ૬૪૩ જેટલા લાભાર્થીઓએ અનાજની માંગણી કરી હતી.
No comments:
Post a Comment