Wednesday, May 9, 2012

જાપાનની તારાજીથી ગુજરાતનાઉદ્યોગનેફટકોપડશ

અંલગના શિપ બ્રેકિંગ યાર્ડમાં ક્લીન ટેકનો પ્લાન નાખવાનો હતો.  કુદરતી આફતને પગલે દિલ્હી-મુંબઈ કોરીડોર પ્રોજેક્ટને ફટકો પડે તેવી આશંકા.

જાપાનમાં તાજેતરમાં આવેલા ભૂકંપ અને સુનામીથી ભારે ખાનારાખરાબી સર્જાઈ છે. દહેશત વચ્ચે ફફડતા  પાનના લોકો હિજરત કરવાના મૂડમાં આવી ગયા છે. જાપાનની આકસ્મિક ભારે તારાજીથી ગુજરાતના પ્રોજેક્ટોને સીધી અસર થવાના ભણકારા વાણી રહ્યા છે. કેન્દ્ર સરકાર પ્રેરિત દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરીડોરના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં જાપાન ભાગીદાર છે. તેને અસર થવાની દહેશત સર્જાઈ છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં જાપાન ભાગીદાર રાષ્ટ્ર હતું. જાપાનની કંપનીએ ગુજરાતમાં જંગી રોકાણ કરવા રસ દર્શાવવા સાથે કરાર પણ કર્યા હતાં હવે આજની સ્થિતિએ આ કરારો આધારિત પ્રોજેક્ટોના અમલી કરણમાં બ્રેક લાગી છે.

જેને લીધે ર્આિથક નુકશાન ગુજરાતે સહન કરવાનો વારો આવ્યો છે. જાપાને અલંગના પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ ઔદ્યોગિક ઝોનમાં અત્યાધુનિક ટેક્નોલોજીથી કચરાનારી સાયકલિંગ પ્રોજેક્ટ બાબતે પણ રસ ધરાવી વાત ચીત કરી હતી. જાપાનના વિદેશ વ્યાપાર સંગઠનના નેજા હેઠળ પ્રતિનિધિ  મંડળે અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાં કલીન ટેક્નોલોજીનો પ્લાન્ટ નાખવાનો કરાર કર્યો હતો. જાપાનની કાર ઉત્પાદ ક કંપની નિસાન પણ રોકાણ માટે તૈયાર હતી. પરંતુ હવે કુદરતી આફતથી સર્જાયેલી તારાજીથી
ગુજરાતને મોટો ર્આિથક ફટકો પડે તેવી દહેશત સેવાઈ રહી છે. એક જાણકારી અનુસાર સુરતનો હિરા ઉદ્યોગ પણ જાપાન સાથે ખૂબજ સારી રીતે સંકળાયેલો છે.

ત્યારે હાલની કટોકટી ભરી સ્થિતિમાં વેપાર-ધંધાને લીધે ગુજરાતને સીધી અસર પહોંચશે. ગુજરાતનો લાગે વળગે છે ત્યાં સુધી છેલ્લાં બે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં જાપાને રસ દર્શાવી સમિટમા જાપાન ભાગીદાર રાષ્ટ્ર બન્યું હતું. ગુજરાતની આંબોહવા અને તમામ પ્રકારની ઉદ્યોગ માટે અનુકૂળ  તાવરણ હોવાથી જાપાને ગુજરાત સમિટમાં રસ દર્શાવ્યો હતો. પરંતુ હવે જાપાનમાં કુદરતી આફત વચ્ચે તારાજી સર્જાતા રાજય સરકારના અધિકારીઓ પણ નિર્ધારિત રોકાણ આવવા સામે સૂચક પ્રશ્નાર્થ દર્શાવીરહ્યા છે.જોકે એક વર્ષનું એવું પણ કહેવું છે અને માને છે કે ભયંકર તારાજી થતાં કેટલીક કંપનીઓ સસ્તી મજૂરી, સસ્તી જમીન અને સંતોષકારક માળખાકીય સુવિધાથી લલચાઈને ગુજરાતમાં ખેંચાઈ શકે તેમ છે. દિલ્હી-મુંબઈ કોરીડોર પ્રોજેક્ટને ફટકો પડે તો પણ અન્ય રોકાણ નિર્ધારિત કરતાં પણ વધી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર ધોલેરાના વિકાસ માટે ઉત્સુક છે. તેનો સર્વે કર્યા પછી ધોલેરા ખાતે  ની જાપાની ટાઉનશિપ બનાવવાના કરાર પણ કરવામાં આવ્યા છે.

No comments:

Post a Comment