Monday, May 14, 2012

ધો.૯માં સેમેસ્ટર પધ્ધતિ દાખલ થતા નવો અભ્યાસક્રમ ઊમેરાશે

નવા અભ્યાસક્રમ માટે હાલમાં ૪૦ ચુનંદા આચાર્યોને તાલીમ અપાય છે.

ગુજરાત રાજય શિક્ષણ બોર્ડ દ્વારા હજુ હમણાં જ ધો.૯ અને ધો.૧૧,૧૨ સાયન્સમાં સેમેસ્ટર પધ્ધતિ દાખલ કરવાનું નક્કી કર્યું છે. ત્યારે આ વર્ષે દાખલ થતી આ સેમેસ્ટર પધ્ધતિ માટે ધો.૧૧ અને ધો.૧૨ સાયન્સ તેમજ ધો.૯માં ગણિત અને વિજ્ઞાનના વિષયનો અભ્યાસક્રમ નવેસરથી તૈયાર કરશે. તેમજ ગણિત અને

વિજ્ઞાન વિષયમાં નવો અભ્યાસક્રમ પણ દાખલ કરવામાં આવશે. ત્યારે આ નવા અભ્યાસ સહિત શાળાકીય

સર્વગ્રાહી મૂલ્યાંકન પધ્ધતિના સંદર્ભમાં હાલમાં રાજયના ૪૦ આચાર્યો કી રિસોર્સ પર્સન તરીકેની તાલીમનો પ્રારંભ કર્યો છે. બોર્ડના સૂત્રો જણાવે છે કે ધો.૧૧-૧૨ સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમની જેમ ધો.૯માં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરી સાથે નવો અભ્યાસક્રમ પણ દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આગામી સત્રથી ધો.૯માં સેમેસ્ટર પધ્ધતિ દાખલ કરવાની હોવાથી નવો અભ્યાસક્ર મ દાખલ કરવા તેમજ અભ્યાસક્રમની પધ્ધતિ પણ બદલવામાં આવશે. ત્યારે ધો.૧૧ અને ધો.૧૨ની અભ્યાસક્રમની પધ્ધતિ ધો.૧૦ના આધારે બદલવાની છે. પરંતુ તેમાં કોઇ નવો અભ્યાસક્રમ ઊમેરવાનો નથી. જયારે ધો.૯માં આગળનું ધો.૮ પ્રાથમિકમાં જતું હોવાથી તેના અભ્યાસક્રમમાં પણ ધરમૂળથી ફેરફારો કરવાના છે. ત્યારે ધો.૯માં આગામી સત્રથી સેમેસ્ટર પધ્ધતિ દાખલ કરવાનું નક્કી કરતા તેના અભ્યાસક્રમ કેવી રીતે બાળકોને ભણાવવો તેમજ બીજા કયા પ્રકરણો નવા ઊમેરવા તે વિષે શકય તેટલો જલદી અભ્યાસક્રમ તૈયાર કરવા માટે રાજય શિક્ષણ વિભાગ દ્વારા ૪૦ જેટલા ચુનંદા આચાર્યોની તાલીમ શરૂ થઇ ગઇ છે. આ તાલીમમાં આચાર્યોને ધો.૯માં બદલાયેલા અભ્યાસક્રમ કોર્ષ મોડ્યૂઅલ, નવા ઊમેરાયેલા પ્રકરણ, સેમેસ્ટર પધ્ધતિ સહિતની વિદ્યાર્થી-શિક્ષકો પાસેથી કેવી કામગીરી લેવી તે સંદર્ભમાં સંપૂર્ણ તાલીમ આપવામાં આવશે. ઊલ્લેખનીય છે કે ૪૦ ચુનંદા આચાર્યોને કી રીસોર્સ પર્સન તરીકે તાલીમ આપ્યા બાદ આ ૪૦ આચાર્યો પોતાની હાથ નીચે રાજયના ૨૦૦થી વધુ રિસોર્સ પર્સન તૈયાર કરશે અને ત્યારબાદ આ રિસોર્સ પર્સન દ્વારા રાજયના તમામ જિલ્લાઓની ધો.૯ની શાળાના શિક્ષકો માટે એપ્રિલના અંતમાં તાલીમ યોજાશે.

No comments:

Post a Comment