Monday, May 14, 2012

મણિનગરની મ્યુ. શાળાઓસ્વૈચ્છીક સંસ્થાઓને સાપી દેવાની હિલચાલ

કોર્પોરેશનની સ્કૂલોમાં કથળતા શિક્ષણ માટે શિક્ષકો સાથે સત્તાના દલાલો પણ જવાબદાર.

મુષ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર મણિનગરમાં આવેલી આશરે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ૨૨ જેટલી મ્યુ. શાળાઓને કોઇ સ્વૈચ્છીક સંસ્થાને ચલાવવા આપી દેવાની પેરવી ચાલી રહી છે. બધુ ઠીક રહ્યું તો એનજીઓ શાળાઓ શરૂ કરવા આમ દેવામાં આવશે. પણ પ્રજા એ કહે છે કે આટલા વર્ષોમાં મ્યુ. શાળાઓમાં શિક્ષણના કથળતા સ્તર માટે જેટલા શિક્ષકો જવાબદાર છે.

તેટલા જ સતાના દલાલો પણજવાબદાર ખરા ? આજસુધી ગરીબ બાળકોને ગુણાવતા સભર શિક્ષણ માટે પ્રયત્નો જ થયા નથી. હવે કથળતું શિક્ષણ આપી ગરીબોના બાળકોને શાળાઓથી દૂર કરી હવે એનજીઓનો પ્રવેશ કરાશે અને મધ્યસ્થીના નામે શાળાઓની મોકાની કરોડો-અબજોની જમીનો પધરાવી દેવામાં આવે તો નવાઇ નહિ ? અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં ૪૦૦થી વધુ મ્યુ. પ્રા.શાળા, અંગ્રેજી માધ્યમની શાળાઓ કાર્યરત છે જેમાં ૧.૬૦ લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે. બાળકોને મ્યુ. સ્કૂલોમાં શિક્ષણના નામે કશું જ આપવામાં આવતું નથી. તો પણ હવે શિક્ષણ - સુધારણાની આડમાં મ્યુ. કોર્પોરેશનના સતાવાળાઓએ મ્યુ. શાળાઓ ખાનગી કંપનીઓ અને એનજીઓને આપવાની તૈયારીઓ શરૂ કરી છે. પહેલાં વારો મોદીના મતવિસ્તાર મણિનગરની ૨૨ જેટલી શાળાઓ એનજીઓ ને અપાશે. આમ કરવાથી પહેલા શાળાઓ ચલાવવા એનજીઓને શાળાઓ અપાશે. પછી શાળામાંથી વિદ્યાર્થીઓ ન આવે તેવી વ્યવસ્થા કરાશે પછી શાળાઓની કરોડોની જમીનો પર કબ્જો થશે. આવી મેલીરમત ચાલી રહી હોવાનું સૂત્રો કહે છે.

No comments:

Post a Comment